સ્વસ્થ રહેવા માટે સવારે ખાલી પેટે પાણી પીવાની આદતને ખૂબ સારી માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોએ સવારે ખાલી પેટ પાણી પીવાનું ટાળવું જોઈએ.
ડોક્ટરના મતે જે વ્યક્તિને મોં કે દાંત સંબંધિત બીમારીઓ હોય, તેમણે સીધું ખાલી પેટે પાણી પીવાનું ટાળવું જોઈએ.
આ બીમારીઓમાં પાયોરિયા (પેઢાનો રોગ),મોંના અલ્સર ,મોંનું કેન્સરનો સમાવેશ થાય છે.
આવી બીમારીઓ દરમિયાન મોંમાં રહેલી લાળ (સલાઇવા) માં હાનિકારક તત્વો અને ચેપ પેદા થઈ શકે છે. જો આવા લોકો સવારે ઉઠતાની સાથે જ પાણી પીવે અને પાણી સાથે લાળને સીધી ગળી જાય, તો આ હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશી શકે છે.
આવા લોકોએ પાણી પીતા પહેલા મોંને સારી રીતે કોગળા કરવા જોઈએ. કોગળા કરવાથી મોંમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને પાણી પીવું સુરક્ષિત બને છે.
સ્વસ્થ લોકો માટે, લાળને કોગળા કરીને બહાર કાઢવાને બદલે ગળી જવી વધુ સારી છે. લાળમાં હાજર એન્ઝાઇમ્સ પાચન પ્રક્રિયાને સુચારુ બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેથી, બિનજરૂરી રીતે લાળ થૂંકવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.