શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં KKRએ IPL 2024નો ખિતાબ જીત્યો હતો.તેમ છતા KKRએ શ્રેયસ ઐયરને રીટેઈન કર્યો નહીં.
IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં PBKSએ પોતાના નવા કેપ્ટનની જાહેરાત અનોખી રીતે કરી છે.
સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસ 18ના વીકેન્ડ કા વાર એપિસોડમાં શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે જાહેર કર્યો.
આ દરમિયાન શ્રેયસ ઐયર સાથે યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ પણ હાજર હતા.
IPL 2024ની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત ટાઇટલ કબજે કર્યું હતું.
મનોરંજન અને રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.