લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી શું થાય છે?


By Dimpal Goyal12, Sep 2025 11:38 AMgujaratijagran.com

પેશાબ રોકવાના ગેરફાયદા

ઘણા લોકો વ્યસ્તતા કે કામના કારણે લાંબા સમય સુધી યૂરીન રોકી રાખે છે. પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ તેનાથી થતી ગંભીર સમસ્યા વિશે.

યૂરીનમાં બળતરા અને દુખાવો થવો

જો તમે લાંબા સમય સુધી યૂરીન રોકી રાખો છો, તો આમ કરવાથી યુરીન કરતી વખતે બળતરા અને દુખાવો થઈ શકે છે.

મૂત્રાશયની નબળાઈ

વારંવાર યુરિન રોકીને રાખવાથી મૂત્રાશય નબળો પડી શકે છે અને યૂરીનને યોગ્ય રીતે રોકવો મુશ્કેલ બની શકે છે.

કિડની પર દબાણ

સતત યૂરીન રોકીને રાખવાથી કિડની પર વધારાનું દબાણ પડે છે અને પથરી કે ચેપનું જોખમ વધે છે.

મૂત્રમાર્ગનો ચેપ

યૂરીન રોકીને રાખવાથી બેક્ટેરિયા વધી શકે છે, જે યુરિનની નળીઓનો વિસ્તાર ચેપનું જોખમ વધારે છે. તેથી આ કરવાનું ટાળો.

મૂત્રાશયની પથરી

યૂરીન રોકીને રાખવાથી યુરિનમાં જમા થયેલા ખનિજ અવરોધો થઈ શકે છે, જેના કારણે મૂત્રાશયમાં પથરી થઈ શકે છે. આ એક ગંભીર સમસ્યા છે.

પેટ કે પીઠમાં દુખાવો

જો તમે લાંબા સમય સુધી યૂરીન રોકી રાખો છો, તો તેનાથી પેટ અને પીઠમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે.

યુરીનનો પ્રવાહ નબળો પડે

જો મૂત્રાશય સતત ભરેલો રહે છે, તો યૂરીનની ગતિ અને પ્રવાહ નબળો પડી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વાંચતા રહો

લાઇફસ્ટાઇલ સંબંધિત સમાચાર વાંચતા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

શું તમે કેક ખાવાના શોખીન છો? તો જાણો તેના ગેરફાયદા