મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળીઃ લેન્ડિંગ સમયે ઈન્ડિગોની ફ્લાઈટનો પાછળનો ભાગ રનવે સાથે ટકરાયો, મુસાફરોના જીવ અદ્ધર

DGCA દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે. તપાસ અને રીપેરિંગ બાદ ફ્લાઈટને ફરીથી ઉપયોગમાં લેવાશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 16 Aug 2025 07:44 PM (IST)Updated: Sat 16 Aug 2025 07:44 PM (IST)
national-news-indigo-flight-tail-strike-at-mumbai-airport-586563
HIGHLIGHTS
  • બેંગકોકથી ફ્લાઈટ મુંબઈ આવી રહી હતી
  • બીજા પ્રયાસમાં ફ્લાઈટ સફળતાપૂર્વક લેન્ડ થઈ

Mumbai | National News: મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હકીકતમાં બેંગકોકથી મુંબઈ આવી રહેલ ઈન્ડિગો એરબસ ફ્લાઈટ નંબર 6E-1060 લેન્ડિંગ દરમિયાન રનવે સાથે ટકરાયું હતુ.

હકીકતમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 3:06 કલાકે લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે વિમાનનો પાછળનો ભાગ રન-વે સાથે ભટકાયો હતો. જેને એવિએશનની ભાષામાં ટેલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે.

સદ્દનસીબે આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. બીજી વખત પ્રયાસ કરવામાં આવતા ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું હતુ.

Vadodara: SSG હૉસ્પિટલમાં તબીબોની બેદરકારીથી જંબુસરની બાળકીનું મોત થયાનો આક્ષેપ, પરિવારની નિષ્પક્ષ તપાસની માગ

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે, ખરાબ હવામાનના કારણે આ ઘટના ઘટી છે. આમ છતાં અમે આ ઘટનાની તપાસ કરીશું. આ ઘટના બાદ વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. જેની તપાસ તેમજ રિપેરિંગ કર્યાં બાદ ફરીથી ટેક ઑફ માટે મંજૂરી આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, એરલાઈન્સ કે ક્રૂ તરફથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આ બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી.

આ ઘટના બાદ ઈન્ડિગો દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે, તમામ મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની પ્રાથમિક્તા છે. કંપની તમામ જરૂરી તપાસ અને રીપેરિંગ બાદ વિમાનને ઉપયોગમાં લેશે.