Salangpur Hanumanji: શ્રાવણ માસના મંગળવારે શ્રીકષ્ટભંજન દેવને શ્રીવિઠ્ઠલનાથજીની થીમના વાઘા પહેરાવ્યા, સિંહાસને પંઢરપુર મંદિરની થીમનો શણગાર

શ્રાવણ માસના તારીખ 12-08-2025ને મંગળવારના રોજ પંઢરપુરમાં વિરાજિત શ્રીવિઠ્ઠલનાથજી ભગવાનની થીમનો શણગાર કરાયો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 12 Aug 2025 09:25 AM (IST)Updated: Tue 12 Aug 2025 09:25 AM (IST)
salangpur-shree-kashtabhanjan-dev-adorned-in-shree-vitthalnathji-themed-wagha-throne-styled-as-pandharpur-temple-583664
HIGHLIGHTS
  • શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પંઢરપુરમાં વિરાજિત શ્રીવિઠ્ઠલજી ભગવાનની થીમવાળા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે.
  • આ વાઘા એક અઠવાડિયાની મહેનતે રાજકોટથી એક ભક્તે બનાવીને મોકલ્યા છે.

Salangpur Hanumanji: શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 12-08-2025ને મંગળવારના રોજ પંઢરપુરમાં વિરાજિત શ્રીવિઠ્ઠલનાથજી ભગવાનની થીમનો શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર મંગળવારના દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પંઢરપુરમાં વિરાજિત શ્રીવિઠ્ઠલજી ભગવાનની થીમવાળા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. આ વાઘા એક અઠવાડિયાની મહેનતે રાજકોટથી એક ભક્તે બનાવીને મોકલ્યા છે. તો દાદાના સિંહાસને આજે પંઢપુર મંદિરની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. આજે સાંજે દાદાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવશે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.