Janmashtami 2025: ભગવાન શામળિયાને વિશેષ વાઘા અને 15 કિલોના આભૂષણ પહેરાવ્યા, 4 કરોડ રૂપિયાનો મુગટ કર્યો અર્પણ

ભગવાનના જન્મોત્સવની ઉજવણી માટે મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને અનેક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 16 Aug 2025 12:51 PM (IST)Updated: Sat 16 Aug 2025 12:51 PM (IST)
janmashtami-2025-lord-shamaliya-was-dressed-in-a-special-wagha-and-15-kg-of-ornaments-a-crown-worth-rs-4-crore-was-offered-586361
HIGHLIGHTS
  • આ વખતે જન્માષ્ટમીએ ભગવાન શામળિયાને ભવ્ય સોનાનો શણગાર કરવામાં આવ્યો હતો.
  • 4 કરોડ રૂપિયાની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.

Janmashtami 2025: અરવલ્લીમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શામળિયાજી મંદિરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનના જન્મોત્સવની ઉજવણી માટે મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને અનેક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ પવિત્ર દિવસે ભગવાનને વિશેષ સોનાના આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા.

આ વખતે જન્માષ્ટમીએ ભગવાન શામળિયાને ભવ્ય સોનાનો શણગાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને તેમને 4 કરોડ રૂપિયાની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુગટની સાથે ભગવાનને જુદા જુદા 15 કિલો સોનાના આભૂષણો પણ ધરાવાયા હતા, જેનાથી તેમની મૂર્તિ વધુ ભવ્ય લાગી રહી હતી.

આ ભવ્ય શણગાર અને આભૂષણોથી સજ્જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વિશેષ શણગારથી મંદિરમાં એક દિવ્ય અને આકર્ષક વાતાવરણ સર્જાયું હતું.