Ahmedabad: ગુજરાત શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, ફી ભરવાની પ્રક્રિયા પણ હવે ક્યુઆર કોડ અને યુપીઆઈ દ્વારા થશે

આ સેવાઓ માટેની ફી પણ ઓનલાઈન જ ભરી શકાશે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પહેલાં બેંકમાં જઈને ચલણ ભરવાની પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 11 Sep 2025 11:32 AM (IST)Updated: Thu 11 Sep 2025 12:25 PM (IST)
ahmedabad-news-gujarat-education-boards-student-oriented-decision-online-corrections-in-marksheets-and-certificates-possible-fee-payment-process-will-now-also-be-done-through-qr-code-and-upi-601212
HIGHLIGHTS
  • વિદ્યાર્થીઓ તેમના માર્કશીટ અને પ્રમાણપત્રમાં નામ, અટક અને જન્મ તારીખ સહિતની વિગતોમાં સુધારો કરી શકશે.
  • આ પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઓનલાઇન કરી દેવામાં આવી છે.

Ahmedabad News: ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ ઉપરાંત, આ સેવાઓ માટેની ફી પણ ઓનલાઈન જ ભરી શકાશે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પહેલાં બેંકમાં જઈને ચલણ ભરવાની પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આ નવો સુધારો રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને કાર્યક્ષમ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ અને પ્રમાણપત્રમાં ઓનલાઇન સુધારા કરી શકશે.

ક્યાં સુધારા શક્ય છે?

GSEB દ્વારા આપવામાં આવેલી નવી ઓનલાઈન સુવિધા હેઠળ વિદ્યાર્થીઓ હવે નીચેના વિગતોમાં સુધારો કરી શકે છે:

  • વિદ્યાર્થીનું નામ અને અટક
  • જન્મ તારીખ
  • પિતાનું નામ
  • વિદેશ જવા માટે સીલ કવર સુધારાઓ
  • ટેટ વેરિફિકેશન અને ડુપ્લિકેશન
  • ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી
  • પ્રમાણપત્ર વેરિફિકેશન

ફી પેમેન્ટની નવી સુવિધા

હવે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફી ભરવા માટે બેંકમાં જઈને ચલણ ભરવાની જરૂર નથી. GSEB ની નવી ઓનલાઈન સિસ્ટમ દ્વારા ફી નીચેના માધ્યમથી સરળતાથી ભરી શકાય છેઃ

  • યુપીઆઈ (UPI)
  • QR કોડ સ્કેન દ્વારા
  • ડેબિટ / ક્રેડિટ કાર્ડ
  • નેટ બેંકિંગ

આ નવી પદ્ધતિ પહેલાંની બેંક ચલણ આધારિત પદ્ધતિ કરતા વધુ ઝડપી અને સરળ છે.

શિક્ષણ બોર્ડનું નિવેદન

ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ શ્રી રાકેશ વ્યાસએ જણાવ્યું કે "આ પહેલ બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત છે.